Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

સીબીઆઇમાંથી દુર કરાયેલા ગુજરાત કેડરના આઇપીએસ રાકેશ આસ્થાનાને બ્યુરો ઓફ સીવીલ એવીએશન સિકયોરીટીના વડા બનાવાયા : દેશભરના અેરપોર્ટ અને ફલાઇટની સિકયોરીટીનું મોનીટરીંગ કરશે

રાજકોટ :  ગુજરાત કેડરના ૧૯૮૪ બેચના હાઇપ્રોફાઇલ આઇપીએસ અધિકારી રાકેશ આસ્થાના કે જેઓ સીબીઆઇમાં સ્પેશ્યલ ડાયરેકટર તરીકે ફરજ બજાવે છે  તેઓનો સીબીઆઇમાંંથી સમયગાળો ટુકાવ્યાના પગલે પગલે તેઓને બ્યુરો ઓફ સીવીલ એવીએશન સિકયોરીટીના વડા બનાવાયાનું ટોચના સુત્રોએ  ''અકિલા''ને  જણાવ્યું છે.

સીબીઆઇના તત્કાલીન વડા આલોક વર્મા સાથેના વિવાદના કારણે રજા પર ઉતારાયેલા રાકેશ આસ્થાનાને વિવાદ ટાળવા માટે  કેન્દ્ર સરકારે સીબીઆઇમાંથી તેમનો સમયગાળો ટુકાવ્યો છે. રાકેશ આસ્થાનાનુ માન જળવાય તે રીકે તેમને સમગ્ર દેશના એરપોર્ટ અને ફલાઇટની સિકયોરીટીની જવાબદારી સુપ્રત કરી છે.

(12:00 am IST)