Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

સુપ્રસિદ્ધ અભિનેતા - ઓશોના શિષ્ય વિનોદ ખન્નાની પત્નિ ગીતાંજલીનો દેહાંત

મુંબઈ : બોલીવુડના દિવંગત અભિનેતા વિનોદ ખન્નાની પત્ની ગીતાંજલિનું નિધન થયું છે ગીતાંજલિનું મહારાષ્ટ્ર રાયગડઢ જિલ્લાના માંડવામાં દેહાંત થયું છે મીડિયા રિપોર્ટસ અનુસાર બીમારીના કારણે ગીતાંજલિનું નિધન થયુ છે

રિપોર્ટસ અનુસાર રાતે અચાનક તેમની તબિયત બગડી ગઇ જે બાદ ડોકટર્સને બોલાવામાં આવ્યા. દરમિયાન ગીતાંજલિએ પોતાના અંતિમ શ્વાસ લીધાં હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે હાલ માંડવાની એક હોસ્પિટલમાં ગીતાંજલિનું પોસ્ટમોર્ટમ પ્રોસેસ ચાલી રહી છે. જયાં તેમના બંને દિકરા અક્ષય અને રાહુલ હાજર છે.

ગીતાંજલિ ખન્ના, દિવંગત વિનોદ ખન્નાના પૂર્વ પત્ની અને અક્ષય ખન્ના-રાહુલ ખન્નાના માતાએ આજે દુનિયાને અલવિદા કહ્યુંછે.(૩૭.૩)

(11:42 am IST)