Gujarati News

Gujarati News

News of Monday, 17th December 2018

હિન્દુઓ પ બાળકો પેદા કરે અને દરેકના હાથમાં હોય હથિયાર

કાશ્મીર ભાજપા પ્રમુખ અને પ્રધાનોની હાજરીમાં મહંતે કરી જાહેરાત

જમ્મુ, તા. ૧૭ : ર૦૦૮ની સાલમાં થયેલ અમરનાથ આંદોલન માટે જાણીતા એવા મહંત દિનેશભારતીએ કહ્યું કે બધા હિન્દુઓ પ બાળકો પેદા કરે અને તેમના હાથમાં હથિયાર હોય. તેમણે આ વાત રવિવાર ૧૬ ડીસેમ્બરના રોજ જમ્મુમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજીત એક સભામાં કહી. આ સભામાં મુખ્ય અતિથિ તરીકે અખિલ ભારતીય સંત સમિતિના પ્રમુખ સ્વામી જગદ્ગુરૂ હંસદેવચાર્યજી હાજર હતા. સાથે જ તેમને સાંભળનારાઓમાં વિશ્વ હિન્દુ પરિષદ તથા આરએસએસના નેતાઓની ાસથે જમ્મુ કાશ્મીરના ભાજપા પ્રમુખ રવિન્દ્ર રૈના સહિત ભાજપના ત્રણ ભૂતપૂર્વ રાજય પ્રધાનો સત શર્મા, શામ ચૌધરી અને ચન્દ્રપ્રકાશગંગા પણ હાજર હતા.

ભારતીય અનુસાર ર૦૩૯માં કોઇપણ હિન્દુ વડાપ્રધાન નહીં બની શકે તેમણે કહ્યું, 'આપને નિંતી છે કે એક હિન્દુ પાંચ બાળકો પેદા કરે અને પાચેયના નાના નાના હાથોમાં હથિયાર આપે. તેઓ હથિયાર પકડીને એલાન કરે કે મારી તરફ કોઇએ આંખ ઉઠાવીને જોયું તો તેની આંખો ફોડી નાખીશ.' ભારતીએ એમ પણ કહ્યું કે આ ધરતી પર એવી કોઇ તાકાત નથી જે રામમંદિર નિર્માણને રોકી શકે.

મહંત ભારતીના આ ભાષણ બાબતે જયારે ઇન્ડીયન એકસપ્રેસે રાજયપાલ સત્યપાલ મલિકના સલાહકાર વિજયકુમાર સાથે વાત કરી તો તેમણે કહ્યું, 'અમે ભાષણ અંગે તપાસ કરી રહ્યા છીએ, અમે તે બાબતે કાયદાકીય સલાહ લેશું જો કયાંય કાયદા ઉલ્લંઘન થયું હોય તેવું જણાશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.'(૮.૩)

(10:15 am IST)