Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

એનડીએમાં બધા સ્વાર્થી: સતા માટે એનડીએ અને યુપીએથી અંદર-બહાર થતા રહે છે : સંજય રાઉત

રામવિલાસ પાસવાન અને નીતીશકુમાર સામે ઉઠાવ્યા સવાલ

મુંબઈ : મહારાષ્ટ્રથી લઈને દિલ્હી સુધી ભાજપ અને શિવસેના વચ્ચે ખેચતાણ ચાલુ છે. મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસના સરકાર ગઠનની સંભાવના વચ્ચે શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ પર નિશાનો સાધ્યો છે.

              સંજય રાઉતે કહ્યું કે સૌથી પહેલા ગોધરા કાંડ પછી પીએમ મોદી પર સવાલ ઉઠાવીને રામવિલાસ પાસવાન એનડીએથી બહાર ગયા હતા. નીતીશ કુમાર શાના પર સવાલ ઉઠાવીને બહાર ગયા હતા. હવે સત્તા માટે એનડીએમાં આવી ગયા છે. આજે અકાલી દળની સિવાય જે પણ દળ છે તે સત્તા માટે સાથે છે. તેઓ સત્તા માટે એનડીએ અને યૂપીએથી અંદર બહાર થતા રહે છે.

(11:20 pm IST)