Gujarati News

Gujarati News

News of Sunday, 17th November 2019

કાલે સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે દિલ્હીમાં મંત્રણા : મહારાષ્ટ્રનું રાજકીય કોકડું ઉકેલાશે કે ગૂંચવાશે : સૌની મીટ

રામદાસ આઠવલે સાથે ભાજપ શિવસેનાની સરકાર રચવા અંગે અમિતભાઈએ ડોન્ટવરી કહેતા રાજકારણ ચકરાવે ચડ્યું

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસની મિશ્ર સરકાર રચવા બાબતે મંત્રણા કરવા નવી દિલ્હી માં હવે આવતીકાલે સોમવારે સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે મંત્રણા યોજાશે. આ પહેલા આજે યોજાનાર આ બેઠક રદ કરવામાં આવી હતી.

દરમિયાનમાં એનસીપીના પ્રવક્તા નવાબ મલિક કહ્યું હતું. કે કોંગ્રેસ સાથે ચર્ચા કર્યા પછી જ હવે પછીનો નિર્ણય અમે લેશું. કાલે સોનિયા ગાંધી અને શરદ પવાર મળ્યા બાદ મંગળવારે બંને પક્ષના નેતા ચર્ચા માટે મળશે.

દરમિયાન અમિતભાઈએ રામદાસ આઠવલે  સાથેની વાતચીતમાં શિવસેના સાથે મળી સરકાર રચવા ફરી એકવાર નિર્દેશ આપતા અને "ડોન્ટ વરી"ની આલબેલ પુકારતા, મહારાષ્ટ્રનુંજબરજસ્ત ચકરાવે ચડ્યું છે

(9:41 pm IST)