Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

યુ.કે. ના મંત્રી મંડળમાંથી ભારતીય મૂળના મિનીસ્ટર શ્રી શૈલેષ વોરાનું રાજીનામું: બ્રેકિઝટ મામલે અનેક મિનીસ્ટરોએ રાજીનામા ધરી દેતા પ્રાઇમ મિનીસ્ટર થેરેસા મે માટે મુશ્કેલ સંજોગો : અવિશ્વાસની દરખાસ્ત આવી શકે.

યુ.કે.સંસદના ભારતીય મૂળના મિનીસ્ટર શ્રી શૈલેષ વોરાએ મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધું છે. શ્રી વોરા ઉપરાંત અનેક મંત્રીઓએ બ્રેકિઝટ મામલે ચાલી રહેલા વિવાદને કારણે રાજીનામા ધરી દેતા પ્રાઇમ મિનીસ્ટર થેરેસા મે માટે મુશ્કેલ સંજોગોનું નિર્માણ થયું છે. તેમની સામે અવિશ્વાસની દરખાસ્ત પણ આવી શકે તેવો ભય સેવાઇ રહ્યો છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(10:21 pm IST)