Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

કોલકત્તા ખાતે ટેસ્ટ મેચ જોવા નરેન્દ્રભાઈ અને બાંગ્લા વડાપ્રધાન શેખ હસીના આવશે?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નવેમ્બરમાં રમાશે ટેસ્ટ મેચ : વિધિવત આમંત્રણ

નવી દિલ્હી : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આગામી ૨૨ થી ૨૬ નવેમ્બર દરમિયાન કોલકતાના ઈડન ગાર્ડન ખાતેના ટેસ્ટ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આઈએએનએસ દ્વારા બાંગ્લાદેશના વડાપ્રધાન અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડને આમંત્રણ આપવામાં આવ્યુ છે. જેનો સાદર સ્વીકાર કરાયાનું જાણવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૬માં ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત - પાકિસ્તાન વચ્ચેના મેચમાં અમિતાભ બચ્ચનને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. આ તકે ભારતનું રાષ્ટ્રગીત પણ રજૂ કરવામાં આવેલ. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને હાલના પ્રધાનમંત્રી ઈમરાન ખાને પણ હાજરી આપી હતી.

(1:14 pm IST)