Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

દશેરાની નરેન્દ્રભાઈને શુભેચ્છા પાઠવતા પૂ.પુરૂષોતમપ્રિયદાસજી

રાજકોટ : દિલ્હીમાં મણીનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ હાલમાં ધર્મ - સત્સંગ પ્રચારાર્થે વિચરણ કરી રહ્યા છે. સનાતન વૈદિક સંસ્કૃતિથી સુભાષિત આપણા ભાતીગળ ભારત રાષ્ટ્રના અભ્યુદય માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને દશેરાના પુનિત પર્વ અવસરે શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્વામી મહારાજે ભારત રાષ્ટ્રના અભ્યુદય માટે આર્શીવાદ આપ્યા હતા. તેમજ સનાતન સંસ્કૃતિના સંરક્ષણ માટે વિચાર વિમર્શનું આદાન પ્રદાન કર્યુ હતું. આ ઐતિહાસિક મુલાકાત અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું પુષ્પહાર પહેરાવી ધન્યતા અનુભવી હતી. મણીનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન વતી આચાર્ય શ્રી પુરૂષોતમપ્રિયદાસજી સ્વામી મહારાજે શ્રી મોદીને પાઘ બંધાવી, ફુલનો હાર પહેરાવ્યો હતો.(૩૭.૧૯)

(3:35 pm IST)