Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જમ્મુ-કાશ્મીરઃ અથડામણમાં ૩ ત્રાસવાદી ઠારઃ એક પોલીસ કર્મચારી થયા શહીદ

શ્રીનગરમાં હજુય સામસામુ ફાયરીંગ ચાલુ

શ્રીનગર, તા. ૧૭ :. જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરના ફતેહ હદાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. આ વિસ્તારમાં ત્રાસવાદીઓ છૂપાયા હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોની કાર્યવાહીમાં તોયબાના ૩ ત્રાસવાદીઓ ઠાર થયા છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં એક પોલીસ કર્મચારી શહીદ થયો છે અને અમુક કર્મચારી ઘાયલ થયા છે.

ગઈકાલે સવારથી આ કાર્યવાહી ચાલુ છે. બન્ને તરફથી ફાયરીંગ થઈ રહ્યુ છે. જેમાં તોયબાના ૩ ત્રાસવાદીઓ માર્યા ગયા છે.

આ ત્રાસવાદીઓ ગીચ વસ્તીમાં છુપાયા હતા તેથી સુરક્ષા દળોએ પહેલા વસ્તી ખાલી કરાવી હતી.(૨-૨)

(11:44 am IST)