Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જીપીએફ અને સંલગ્ન સ્કીમના વ્યાજદરમાં વધારો :સરકારે વ્યાજદર વધારી 8 ટકા કર્યો

 

નવી દિલ્હી :સરકારે જનરલ પ્રોવિડન્ટ ફન્ડ (જીપીએફ) અને અન્ય સંલગ્ન સ્કીમના વ્યાજ દરમાં ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટર માટે વધારો કર્યો છે. સરકારે વ્યાજ દરમાં 0.4 ટકાનો વધારો કરતા તે વધીને 8 ટકા થયો છે. અગાઉ જુલાઈ-સપ્ટેમ્બર 2018-19ના કવાર્ટરમાં જીપીએફનો વ્યાજદર 7.6 ટકા હતો.

   અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાજ દર પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડને ધ્યાનમાં રાખીને વધારવામાં આવ્યો છે.

(8:58 am IST)