Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

કેરળમાં કોરોનાનો કહેર: દેશમાં નવા 34.640 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 37.871 દર્દીઓ રિકવર થયા : વધુ 318 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.44.278 થયો :એક્ટીવ કેસ 3.32.451 થયા : કુલ કેસની સંખ્યા 3.33.80.522 થઇ

સૌથી વધુ કેરળમાં 22.182 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3595 કેસ, તામિલનાડુમાં 1693 કેસ, આંધ્રપ્રદેશમાં 1367 કેસ ,મિઝોરમમાં 1402 કેસ,કર્ણાટકમાં 1180 કેસ,પશ્ચિમ બંગાળમાં 707 કેસ, આસામમાં 468 કેસ,ઓરિસ્સામાં 580 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 34.640 કેસ નોંધાયા છે. જ્યારે 37.871 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 34.640 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 318 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.44.278 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 34.640 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.33.80.522 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.32.451 થઇ છે છેલ્લા 24 કલાકમાં 37.871 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.25.90.868 લોકોએ કોરોનાને મહાત આપી છે

 દેશમાં સૌથી કેરળમાં 22.182 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3595 કેસ, તામિલનાડુમાં 1693 કેસ, આંધ્રપ્રદેશમાં 1367 કેસ ,મિઝોરમમાં 1402 કેસ,કર્ણાટકમાં 1180 કેસ,પશ્ચિમ બંગાળમાં 707 કેસ, આસામમાં 468 કેસ,ઓરિસ્સામાં 580 કેસ નોંધાયા છે

(1:02 am IST)