Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

વારાણસીમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના ચાહકે જન્મદિને સંકટ મોચન હનુમાનજી દાદાને ૧.૨પ કિલો સોનાનો મુગટ અર્પણ કર્યો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (17 સપ્ટેમ્બર) તેમના 69માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યાં છે. દેશભરમાં પીએમ મોદીના ચાહકો તેમના બર્થ-ડેની ઉજવણી કરી રહ્યાં છે. આ સમય પર પીએમ મોદીના એક ચાહકે વારાણસીના સંકટમોચન મંદિરમાં સોનાનો મુગટ (Gold Crown) ચઢાવ્યો છે. આ સાનાના મુગટનું વજન 1.25 કિલો છે. આ મુગટ પીએમ મોદીના એક પ્રશંસક અરવિંદ સિંહે ચઢાવ્યો છે.

પીએમ મોદીના પ્રશંસક અરવિંદ સિંહએ આ બીજીવાર સરકાર બને તેવી બાધા રાખી હતી. બાધા પૂરી થવા પર અરવિંદે 1.25 કિલો વજનનો સોનાનો મુગટ ચઢાવ્યો. નરેન્દ્ર મોદીના બીજીવખત વડાપ્રધાન બનાવા અને ભાજપની પૂર્ણ બહુમતન સરકાર બનવાની બાધા પૂરી થવા પર સંકટ મોચન મંદિરમાં ચઢાવવા માટે સોનાનો મુગટ વારાણસીના વ્યાપારી અરવિંદ સિંહએ તૈયાર કરાવ્યો છે.

તમમને જણાવી દઇએ કે, 26 જુલાઇના તેઓ આ મુગટ સાથે પીએમઓ પહોંચ્યા હતા. પીએમ મોદીએ મુગટનું અવલોકન કરતા સ્પર્શ કર્યું હતું.

પીએમના જન્મદિવસથી એક દિવસ પહેલા મુગટને કાશીવાસીઓ તરફથી હનુમાનજીને અર્પણ કરવાથી પહેલા સોમવાર સાંજે દુર્ગાકુંડ સ્થિત ધર્મ ભવનમાં સમારોહનું આયોજન કર્યું હતું. તેમાં મુગટનું વિધિવત પૂજન કર્યું અને સોનાના મુગટને મંદરિના મહંતને સોંપવામાં આવ્યો હતો.

(4:30 pm IST)