Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

તિહાર જેલમાં જન્મ દિવસે પી. ચિદમ્બરમે કહ્યું છે ભગવાન આ દેશની રક્ષા કરે!

નવીદિલ્હી તા. ૧૭ : પોતાનો ૭૪મો જન્મદિવસ તિહારજેલમાં જ વ્યકિતત કરનાર પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે કહ્યું  હતું કે ''ભગવાન આ દેશની રક્ષા કરે'' આઇ.એમ.એકસ મીડીયા પ્રકરણે તેઓ જેલમાં બંધ છે.

પૂર્વ નાણામંત્રીએ ટવીટર હેંડલ દ્વારા કહ્યું કે મને મારા પરિવારને મારા જન્મદિવસે શુભકામનાઓ પાઠવનાર બધાને ધન્યવાદ પાઠવું છું હું ૭૪ વર્ષનો થયો છુ પરંતુ મનથી હું હજુ ૭૪ વર્ષનો યુવાન લાગુ છું મારી ઇચ્છા શકિતને વધુ ઉપર ઉઠી છે તેમણે અર્થવ્યવસ્થા અંગે જણાવ્યું છેકે ઓગસ્ટમાં જીડીપી દર ૬.૦પ ટકા છે જે અંગે તેમણે કહ્યું હતું કેભગવાન આ દેશની રક્ષા કરે

(3:32 pm IST)