Gujarati News

Gujarati News

News of Tuesday, 17th September 2019

મમતા કુણાં પડયાઃ નરેન્દ્રભાઇને મળવા સમય માંગ્યોઃ કાલે મુલાકાત

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરવાનો સમય માગ્યો છે. કોલકાતા રાજય સચિવાલયનાં સૂત્રોએ  આ બાબતની પુષ્ટિ કરી હતી. મમતા આજે મંગળવારે   દિલ્હી આવે તેવી શકયતા છે, જો કે વડાપ્રધાન મોદી મંગળવારે જ પોતાનાં જન્મ દિવસ માટે ગુજરાતમાં છે.

 બીજી તરફ રાજયનાં પ્રશાસનિક અધિકારીઓએ જણાંવ્યું કે આ એક સત્ત્।ાવાર મુલાકાત છે, જેનો સંબંધ પશ્યિમ બંગાળ સાથે છે. પ્રસ્તાવિત બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ બેઠક તે સમયે થવા જઇ રહી છે, જયારે બંગાળમાં સત્ત્।ારૂઢ તૃણમૂલ કોંગ્રેસનાં અનેક નેતાઓ અને કોલકાતા પોલીસનાં પૂર્વ કમિશ્નર રાજીવ કુમાર શારદા ચિટ ફંડ કૌભાંડમાં સીબીઆઇ તપાસનો સામનો કરી રહ્યા છે.

 મહત્વનું છે કે કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે છેલ્લા દ્યણા સમયથી રાજકિય ગજગ્રાહ ચાલી રહ્યો છે. દિલ્હીમાં થયેલી નીતિ આયોગની બેઠકમાં પણ મમતા બેનરજી ગયા ન હતા.

(3:27 pm IST)