Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મંદિર-મસ્જિદમાં આંટાફેરા કરવાથી રાષ્ટ્રનું નિર્માણ નહિ થાયઃ મોદી અને રાહુલ પર કેજરીવાલના પ્રહાર

  નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યુ કે, રાહુલ ગાંધીના કૈલાસ અને પીએ મોદીના મસ્જિદમાં આંટાફેરા મારવાથી રાષ્ટ્રનું નિર્માણ થવાનું નથી. રાષ્ટ્રનું નિર્માણ મંદિર, મસ્જિદથી નહી પણ શાળા, હોસ્પિટલ, સડક, પાણી અને વિજળી આપવાથી થશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાહુલ ગાંધી  કૈલાશ માનસરોવરની યાત્રાએ ગયા હતા. જયારે કે નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ઈન્દોરમાં વોહરા સમાજની  મસ્જિદની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની મસ્જિદ મુલાકાત દેશમાં ચર્ચાનો વિષય બની હતી.

(3:48 pm IST)