Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

મનોહર પર્રિકર ગોવાના મુખ્ય પ્રધાન છે અને હમેશા માટે રહેશે :ગોવા ભાજપ પ્રદેશ અધ્યક્ષે અટકળને લગાવી બ્રેક

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકર બીમારીની સારવાર લઈ રહ્યા છે.ગોવામાં નેતૃત્વ અંગે અનેક અટકળો લગાવવામાં  આવી રહી છે.ત્યારે ગોવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિનય તેંદુલકરે તમામ અટકળો પર બ્રેક લગાવી છે. વિનય તેંદુલકરે કહ્યુ કે, મનોહર પર્રિકર ગોવાના મુખ્ય પ્રધાન છે અને હમેશા માટે રહેશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે મનોહર પર્રિકરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ  શાહને ગોવામાં નેતૃત્વ પરિવર્તન કરવા અંગે વિચાર કરવા રહ્યુ હતું.ગઈકાલે અમિતભાઈ  શાહે જણાવ્યુ હતુ કે, સમય આવશે એટલે ગોવામાં નેતૃત્વ અંગે વિચાર કરવામાં આવશે.

(12:00 am IST)