Gujarati News

Gujarati News

News of Monday, 17th September 2018

રેવાડીની ગેંગરેપના કોઈપણ આરોપીઓને છોડવામાં નહિ આવે : મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરની ખાતરી

હરિયાણાના  રેવાડીમાં બનેલી ગેંગરેપની ઘટના અંગે મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, કોઈપણ આરોપીને છોડવામાં આવશે નહીં. તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં  આવી છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ઓળખ કરી છે. જેને ટુંક સમયમાં ઝડપી પાડવામાં આવશે.

  મનોહરલાલ ખટ્ટરે ગેંગરેપની ઘટનાને નિંદનીય ગણાવી હતી. જ્યારે આ મામલે કોંગ્રેસ મનોહરલાલ ખટ્ટરના રાજીનામાની માગ કરી રહી છે.

(12:00 am IST)