Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

ઇમરાનખાનના શપથગ્રહણ સમારોહ માટે પાકિસ્તાન પહોંચ્યા નવજોતસિંહ સિદ્ધુ

રાજકીય વ્યક્તિ તરીકે નહીં પરંતુ અમન અને ખુશાલીના સદભાવના દૂત બની મિત્ર પાસે આવ્યો હોવાનો સિંધુનો દાવો

 

નવી દિલ્હી :પૂર્વ પાકિસ્તાનની ક્રિકેટર ઇમરાન ખાન વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. ઇમરાન ખાન તરફથી ઔપચારિક આમંત્રણ મળ્યા બાદ તેમના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે ભારતના પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાન પહોંચ્યા હતાં.

    સિદ્ધુ અટારી-વાઘા બોર્ડર પરથી પાકિસ્તાન ગયા હતાં.અહીં પાકિસ્તાની મીડિયા સાથે વાતચીત કરતા સિદ્ધુએ જણાવ્યું હતુ કે તેઓ એક સદભાવના દૂત તરીકે પાકિસ્તાન આવ્યા છે. જેનાથી બંને દેશોની વચ્ચેના સંબંધો સુધરી શકે.

   પંજાબ સરકારના કેબિનેટ પ્રધાન સિદ્ધુએ જણાવ્યું કે તેઓ પાકિસ્તાન રાજકીય વ્યક્તિ તરીકે નથી આવ્યા પરંતુ અમન અને ખુશહાલીનો સદભાવના દૂત બનીને પોતાના મિત્ર પાસે આવ્યો છે.

(9:53 pm IST)