Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

આખરે કેમ અપરિણીત રહ્યા અટલ બિહારી વાજપેયી?

અટલજીની ખુબસૂરત પ્રેમકહાની : અટલજી જ્યારે ગ્વાલિયરની એક કોલેજમાં કરી રહ્યા હતા અભ્યાસઃ તેમના નજીકના લોકોનું માનવું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે અને રાજનૈતિક સેવાનું વ્રત લેવાને કારણે તે આજીવન રહ્યા અપરિણીત

નવી દિલ્હી : જયારે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની વાત આવે એટલે હંમેશા એક પ્રશ્ન પુછવામાં આવે કે તેમણે લગ્ન કેમ નથી કર્યાં? તેમને પણ ઘણાં લોકોએ સામે જ આ પ્રશ્ન પુછ્યો કે તમે લગ્ન કેમ નથી કર્યા. ત્યારે તેમનો જવાબ એક જ રહેતો કે, 'વ્યસ્તતાને કારણે આવું ન થયું અને આવું કહીને તે ધીરેથી સ્મિત કરતાં.' જોકે તેમના નજીકના લોકોનું માનવું છે કે રાજનૈતિક સેવાનું વ્રત લેવાને કારણે તે આજીવન અપરિણીત રહ્યાં. તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માટે આજીવન અપરિણીત રહેવાનો નિર્ણય કર્યો હતો.

પૂર્વ પત્રકાર અને હવે કોંગ્રેસ નેતા રાજીવ શુકલાએ પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ સવાલ અટલજીને પૂછ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, 'ઘટનાચક્ર એવું ચાલતું ગયું કે હું તેમાં ફસાતો ગયો અને વિવાહનું મુહૂર્ત નીકળી ન શકયું.' જે પછી રાજીવે પૂછ્યું કે જીંદગીમાં કયારેય અફેર પણ નથી થયું? જેમાં પોતાના સ્મિત સાથે અટલજીએ જવાબ આપ્યો કે, 'અફેરની ચર્ચા જાહેરમાં નથી થતી.' જોકે આ જ ઇન્ટરવ્યૂમાં તેમણે કબૂલ્યું કે તે એકલતાનો અનુભવ કરે છે. ત્યારે તેમણે કહ્યું હતું હા, એકલતાનો અનુભવ કરૃં છું, ભીડમાં પણ એકલતાનો અનુભવ કરૃં છું.

અટલજીની ખૂબસૂરત પ્રેમ કહાનીઆ કહાનીની શરૂઆત ૪૦ના દશકમાં થઇ હતી, જયારે અટલજી ગ્વાલિયરની એક કોલેજમાં અભ્યાસ કરી રહ્યાં હતાં. બંન્નેએ પોતોના સંબંધને કોઇપણ નામ ન હતું આપ્યું. પરંતુ કુલદીપ નૈયર પ્રમાણે આ ખૂબસૂરત પ્રેમ કહાની હતી. અટલ બિહારી વાજપેયી અને રાજકુમારી કૌલ વચ્ચેના આ સંબંધની રાજનૈતિક જીવનમાં પણ ઘણી ચર્ચા પણ થઇ હતી. દક્ષિણ ભારતના પત્રકાર ગિરીશ નિકમના એકે ઇન્ટરવ્યૂમાં પણ અટલ અને શ્રીમતી કૌલ માટેના અનુભવ જણાવ્યાં હતાં. તેમનું કહેવું હતું કે તે જયારે પણ અટલજીના નિવાસસ્થાને ફોન કરતાં હતાં ત્યારે ફોન મિસિસ કૌલ ઉપાડતા હતાં. જયારે તેમની વાત મિસિસ કૌલ સાથે થઇ ત્યારે તેમણે કહ્યું હતું કે, 'હું મિસિસ કૌલ, રાજકુમારી કૌલ છું. વાજપેયી અને હું ઘણાં સમયથી મિત્રો છીએ. ૪૦થી વધારે વર્ષો પહેલાના મિત્રો છીએ. ' અટલજી પર લખાયેલ એક પુસ્તક 'અટલ બિહારી વાજપેયી : અ મેન ઓફ ઓલ સીજંસ'ના લેખક અને પત્રકાર કિંગશુક નાગે લખ્યું હતું કે પબ્લિશ રિલેશન પ્રોફેશનલ સનુીતા બુદ્ઘિરાજાના મિસિસ કોલ સાથે સારા સંબંધ હતાં. તે એવા દિવસો હતા જયારે છોકરી અનો છોકરાની મિત્રતાને સારી નજરથી જોવામાં આવતા ન હતાં. એટલે સામાન્ય રીતે પ્રેમ થાય તો પણ પોતાની ભાવનાઓને ખુલીને કહી ન હતાં શકતાં. જે પછી પણ યુવા અટલે લાઇબ્રેરીમાં એક પુસ્તકની અંદર રાજકુમારી માટે એક પત્ર મુકયો હતો. પરંતુ તેમને એ પત્રનો કોઇ જવાબ મળ્યો ન હતો. પુસ્તકમાં રાજકુમારી કૌલના પરિવારના એક નજીકના સગા પ્રમાણે લખવામાં આવ્યું છે કે તે અટલ સાથે લગ્ન કરવા માંગતી હતી પરંતુ ઘરમાં તેનો જબરદસ્ત વિરોધ થયો. જોકે અટલ બ્રાહ્મ ણ હતાં પરંતુ કૌલ પોતાની જાતને વધારે સારા કુળના માનતા હતાં. (૨૧.૨૨)

 

(9:20 am IST)