Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

અટલજીના નિધનથી ઘેરો શોક :કાલે દિલ્હીની તમામ શાળા કોલેજો બંધ રહેશે

નિધન પહેલા જ કેજરીવાલ અને મનીષ સીસોદીયા એમ્સ પહોંચી પરિસ્થિતિ જાણી હતી

નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર શુક્રવારે દિલ્હીનાં તમામ સરકારી કાર્યાયલ અને શાળાઓ બંધ રહેશે. દિલ્હીનાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી .

 અટલજીનાં નિધન પહેલા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટીસીએમ મનીષ સિસોદિયાએ એમ્સ પહોંચીને એમ્સ પહોંચીને તેમની પરિસ્થિતી જાણી હતી. અટલજીનાં નિધન અંગે મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને લખ્યું કે, અમારા પ્રિય અટલજીનાં અન્મામાં કાલે દિલ્હીની તમામ સરકારી ઓફીસ અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે. 

(12:00 am IST)