Gujarati News

Gujarati News

News of Friday, 17th August 2018

વાજપેયી જીવનભર લોકતાંત્રિક મૂલ્યો માટે ઉભા રહ્યાં ,એ પ્રતિબધ્ધતા તેના દરેક કામમાં દેખાઈ : સોનિયા ગાંધી

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે વાજપેયી જીવનભર લોકતાંત્રિક મૂલ્યો માટે ઉભા રહ્યા,અને એ માટેની તેની પ્રતિબધ્ધતા તેઓના દરેક કામમાં પ્રતિબબિત થતી હતી

સોનિયા ગાંધીએ અટલજીને કૃષ્ણ મેનન માર્ગ સ્થિત આવાસ પર જઈને તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી ,યુપીએના પ્રમુખ સોનિયાએ કહ્યું કે વાજપેયીના નિધનથી ખુબ જુ દુઃખી છું,તેઓ અમારા રાષ્ટ્રીય જીવનમાં એક વિશાળ વ્યક્તિત્વ હતા તેઓએ એક સાંસદ ,કેબિનેટ મંત્રી,અને વડાપ્રધાન તરીકેના તેના દરેક કામમાં લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની તેઓની પ્રતિબદ્ધતા સિદ્ધ કરી હતી

(12:00 am IST)