Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

કુલભૂષણનું PAK ના આતંકી સંગઠને ઈરાનથી અપહરણ કરી આઇએસઆઇને સોંપેલઃ ધડાકો

નવી દિલ્હીઃ કુલભૂષણ જાધવની જેલ મુકિત સંબંધમાં બુધવાર સાંજે ઇન્ટરનેશનલ કોર્ટ (ICJ)નો ચુકાદો આવશે. આ કેસમાં વિશે ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે, જાધવને ઈરાનના ચાબહારથી પાકિસ્તાનના એક આતંકી સંગઠને અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને પાકિસ્તાનમાં લઇ જઈ ગુપ્ત એજન્સી આઇએસઆઇને સોંપવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આઇએસઆઇએ જૈશ-અલ-અલદ સંગઠનનો ઉપયોગ કુલભૂષણને પકડવા માટે કર્યો હતો. ભારતીય એજન્સીઓ પાસે આ મામલે પુરતા પુરાવા છે કે, કઇ રીતે પાક. એજન્સિઓએ જાધવને જાસૂસીના ખોટા કેસમાં ફસાવ્યો છે.

પાકિસ્તાન અને ઈરાનના બોર્ડર વિસ્તારને અસ્થિર ક્ષેત્ર ગણવામાં આવે છે. પાકિસ્તાન જૈશ-અલ-અદલ સંગઠનનો ઉપયોગ ઈરાનની સામે પણ કરે છે. ઈરાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર બોર્ડર વિસ્તારમાં થતી આતંકવાદી ગતિવિધિઓમાં પાકિસ્તાનનું સમર્થન માનવામાં આવી છે. હાલમાં અમેરિકાએ જૈશ-અલ-અદલ સંગઠનને ઈરાનના આતંકી સંગઠન જુનદુલ્લાહથી સંબંધ જાહેર કર્યો છે. જુનદુલ્લાહને અમેરિકાએ વૈશ્વિક આતંકી સંગઠન તરીકે જાહેર કર્યું છે.

(1:18 pm IST)