Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

એર ઇન્ડિયાના વિમાન મારફત UAE જતા મુસાફરોને રાહત : હવેથી 30 કિલોને બદલે 40 કિલોનું લગેજ લઇ જઈ શકશે

દુબઇ : દુબઇ મુકામે ભારતીય સમુદાય આયોજિત એક કાર્યક્રમમાં એર ઇન્ડિયાના ચરમેન શ્રી અશ્વિની  લોહાણી હાજર રહ્યા હતા.જે દરમિયાન ઉપસ્થિતોએ મુસાફરી સમયે સાથે લઇ જવાતું લગેજ 30 કિલોને બદલે 40 કિલો લઇ જવા માંગણી કરી હતી જેનો તેમણે સ્વીકાર કર્યો હતો એટલુંજ નહીં આ યોજનાનો અમલ મંગળવાર પછી ટિકિટ લેનાર માટે લાગુ થઇ જશે તેમ પણ જણાવ્યું હતું તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:43 am IST)