Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પત્નીના શબ પાસે અઠવાડિયા સુધી બેસી રહયો પેરેલાઇઝડ પતિ

બેગ્લોર તા.૧૭: કર્ણાટકના કારવાર શહેરમાં ૬૦ વર્ષના આનંદ કોલકર પત્ની ગિરિજા સાથે રહેતા હતા. તેમને કોઇ સંતાન નહોતું. આનંદને ઘણા વર્ષોથી પેરેલિસિસ થયો હોવાથી તે જાતે પથારીમાંથી હાલીચાલી શકતા નહોતા. કે ન બોલી શકતા હતા. પંચાવન વર્ષનાં ગિરિજા પાડોશના ઘરોમાં કામ કરીને ગુજરાન ચલાવતાં હતાં. ગિરિજાના ભાઇ સુબ્રમણ્યએ બહેનને ફોન કરવાની ઘણી ટ્રાય કરેલી પણ એક વીક થઇ ગયું હોવા છતાં કોઇ રિપ્લાય ન મળતાં રવિવારે તે બહેનના ઘરે આવી પહોંચ્યો હતો. ખૂબ ખટખટાવ્યા છતાં કોઇએ દરવાજો ખોલ્યો નહીં એટલે પાડોશના ઘરમાંથી છત પર ચડીને અંદર જોયું તો આનંદ અને ગિરિજા બન્ને ખુરસી પર બેઠા હતા અને બન્નેના શરીરમાં કોઇ હલનચલન નહોતું. પોલીસે આવીને ઘરનો દરવાજો તોડયો. ડોકટરોનું કહેવું હતું કે ગિરિજાનું કાર્ડિએક અરેસ્ટથી સાત દિવસ પહેલાં મૃત્યુ થઇ ગયું હતું. તેનો પતિ લકવાને કારણે હાલીચાલી શકતો નહોતો એટલે તે આ ઘટનામાં પત્નીને કંઇ મદદ પણ ન કરી શકયો અને કોઇને મદદ માટે પણ બોલાવી ન શકયો. સાત દિવસ સુધી તે ખોરાક-પાણી વિના રહયો હોવાથી તે પણ બેભાન થઇ ગયો હતો.

(4:19 pm IST)