Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

પિતાના મૃતદેહ સાથે ૩ દિવસ ભુખ્યા રહ્યા બાળકોઃ પાડોશી પાસે ખાવાનું માંગતા ભેદ ખુલ્યો

લખનૌ તા. ૧૭: યુપીના બરેલીમાં ર માસુમ બાળકો ૩ દિવસ સુધી પિતાની લાશ સાથે રહેલ, જયારે ખુબ જ ભુખ લાગી ત્યારે પાડોશી પાસે ખાવાનું માંગવા જતા ખબર પડી કે તેમના પિતાનું મોત થયેલ. પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતા પત્ની પીયર ચાલી ગયેલ.

બરેલીના ગાયત્રીનગરમાં એક યુવકની શંકાસ્પદ પરિસ્થિતિમાં ફાંસી ઉપર લટકતો મૃતદેહ મળતા ખળભળાટ મચી ગયેલ. યુવકનો મૃતદેહ ર-૩ દિવસ જુનો લાગી રહ્યો હતો. મોતની સુચના મળતા પોલીસ પહોંચેલ ત્યારે યુવક ફંદામાં લટકાયેલ હતો. પાડોશીઓ કહેવા મુજબ મૃતક મનોજ ઇડાની કંપનીમાં કામ કરતો હતો અને લોકડાઉનના કારણે ઘરે જ રહેતો હતો. મૃતકને ૬ વર્ષનો પુત્ર અને ૪ વર્ષની પુત્રી છે.

મનોજનો પત્ની સાથે ઝઘડો થતા પત્ની બાળકોને છોડીને પીયર ચાલી ગયેલ. ઘરમાં મનોજ બાળકો સાથે રહેતો હતો. પાડોશીએ જણાવેલ કે બાળકોએ ૩ દિવસથી કશું ખાધું ન હોવાનું અને પપ્પાનું મૃત્યુ થયાનું જણાવેલ. પોલીસને કોઇ સુસાઇડ નોટ મળી ન હતી. પોલીસને પ્રાથમીક તપાસમાં પત્નીથી નારાજગીના લીધે ગળાફાંસો ખાધાનો મામલો લાગી રહ્યો છે.

(3:11 pm IST)