Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વિશ્વભરમાં કોરોનાથી ૭૦ લાખથી ૧.૩૦ કરોડ લોકોના મોતનો દાવો

વિશ્વના જાણીતા મેગેઝીન 'ધ ઈકોનોમિસ્ટ'નો સનસનીખેજ ધડાકોઃ આફ્રિકા અને એશીયા જ નહિ અમેરિકા, બ્રીટન, ફ્રાન્સ જેવા દેશોએ પણ મોતના આંકડા છૂપાવ્યા છે : અમેરિકા અને કેરેબીયન દેશોમાં ૧૫ થી ૧૮ લાખ, યુરોપમાં ૧૫ થી ૧૬ લાખ, એશિયા ૨૪ થી ૭૧ લાખ, આફ્રિકા ૨૧ લાખના મોત થયાનું અનુમાનઃ ભારતમાં રોજ ૬ થી ૩૧ હજારના મોત થયા છે

નવી દિલ્હી, તા. ૧૭ :. છેલ્લા ૧૯ મહિનાથી કોરોના વાયરસે દુનિયાભરમાં તબાહી મચાવી છે. રોજ હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યા છે. જ્યારે લાખો લોકો આ ખતરનાક વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે. મોતના આંકડાને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. કહેવાય છે કે કોઈપણ દેશ કોરોનાથી થતા મોતને લઈને સાચી તસ્વીર રજૂ નથી કરતા. વિશ્વના જાણીતા મેગેઝીન ધ ઈકોનોમીસ્ટએ દાવો કર્યો છે કે દુનિયાના અનેક દેશો કોરોનાથી થતા મોતની સાચી માહિતી નથી આપતા. આ મેગેઝીને દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં સમગ્ર દુનિયામાં ૭૦ લાખથી ૧.૩૦ કરોડ સુધીના લોકોને કોરોના ભરખી ગયો છે. દુનિયાભરમાં ટેસ્ટીંગ અને રીપોર્ટીંગની કમીને કારણે સત્તાવાર આંકડામાં કોરોનાથી થતા મોતની સંખ્યા ઓછી બતાડવામાં આવી રહી છે. આ મેગેઝીને કહ્યુ છે કે આફ્રિકા અને એશીયા જ નહિ પરંતુ અમેરિકા અને બ્રીટન અને ફ્રાન્સ જેવા દેશોમાં પણ જાહેર આંકડાથી વધુ મોત થયા છે. ઈકોનોમીસ્ટે ભારતને લઈને દાવો કર્યો છે કે અહીં રોજ ૬ થી ૩૧ હજાર જેટલા લોકોના મોત થયા છે. જ્યારે સરકારી આંકડા રોજ ૪ હજારના મોતની વાત જણાવે છે. જો કે ભારત સરકારે આ દાવાના નકારી કાઢયો છે. રીપોર્ટ અનુસાર અનેક ગરીબ દેશો મોતના સાચા આંકડા છુપાવી રહ્યા છે.

મેગેઝીને આ દાવોે મશીન લર્નિંગ મોડલ થકી કર્યો છે. આમ તો જોન હોપકીન્સ યુનિ.ના આંકડા પર નજર નાખીએ તો અત્યાર સુધી કોરોનાથી ૩૮.૩૦ લાખ લોકોના મોત થયા છે અને ૧૭ કરોડથી વધુ લોકોના કોરોના થયો છે.

એશીયામાં સત્તાવાર આંકડા અનુસાર અત્યાર સુધી ૬ લાખના મોત થયાનુ જણાવે છે પરંતુ મેગેઝીન દાવો કરે છે કે અહીં ૨૪થી ૭૧ લાખ લોકોના મોત થયા છે. અમેરિકા અને કેરેબીયન દેશોમાં સત્તાવાર મોતના આંકડા ૬ લાખ છે જ્યારે મેગેઝીન ૧૫ થી ૧૮ લાખના મોતનો દાવો કરે છે. યુરોપમાં સરકારી આંકડા ૧૦ લાખ છે જ્યારે મેગેેઝીને દાવો કર્યો છે કે ૧૫ થી ૧૬ લાખ લોકોના મોત થયા છે.

ગત ૧૯ મહિનાથી કોરોના વાયરસે દુનિયામાં ત્રાસ વર્તાવ્યું છે.  દર રોજ હજારો સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. જો કે મોતના આંકડાને લઈને સતત સવાલ ઉઠી રહ્યા છે.  કહેવાઈ રહ્યું છે કે અનેક દેશ કોરોનાના મોતના આંકડાને લઈને સાચી તસ્વીર રજુ નથી કરી રહ્યા. દુનિયાની જાણીતી મેગેજીન ધ ઈકોનોમિસ્ટે દાવો કર્યો છે કે દુનિયાના અનેક દેશો કોરોનાથી થનારા મોતની યોગ્ય જાણકારી નથી આપી રહ્યા. દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં દુનિયામાં ૭૦ લાખથી ૧.૩ કરોડથી વધારે મોત થયા છે.

ધ ઈકોનોમિસ્ટના રિપોર્ટ મુજબ આફ્રીકા અને એશિયા જ નહીં પરંતુ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોએ પણ મોતને લઈને યોગ્ય જાણકારી નથી આપી. મેગેજીનનો આ દાવો મશીન લર્નિગ મોર્ડલના માધ્યમથી કર્યો છે.  આમ તો જોન હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા પર નજર નાંખીએ તો અત્યાર સુધીમાં કોરોનાથી ૩૮ લાખ ૩૦ હજાર લોકોના મોત થયા છે. જયારે દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧૭ કરોડથી વધારે લોકો કોરોના સંક્રમિત થઈ ચૂકયા છે.

એશિયામાં સત્ત્।ાવાર આંકડા મુજબ અત્યાર સુધી ૬ લાખ લોકોના મોત થયા છે. જયારે ધ ઈકોનોમિસ્ટે દાવો કર્યો છે કે અત્યાર સુધી અહીં ૨૪થી ૭૧ લાખ લોકોના જીવ ગયા છે. લેટિન અમેરિકા અને કેરિબિયન દેશોમાં સત્ત્।ાવાર મોતના આંકડા ૬ લાખ છે. જયારે મેગેજીને અહીં ૧૫-૧૮ લાખ મોતનો દાવો કર્યો છે. યુરોપમાં સરકારી આંકડા ૧૦ લાખ છે. જયારે અહીં દાવો કરવામાં આવી રહ્યો છે કે ૧૫-૧૬ લોકોના જીવ ગયા છે.

ભારતને લઈને દાવો કરતા ધ ઈકોનોમિસ્ટે કહ્યું કે અહીં દર રોજ ૬થી ૩૧ હજાર મોત થયા. પરંતુ સરકારી આંકડામાં દર રોજ ૪ હજાર મોત દર્શાવાયા. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે આ દાવને ફગાવી દીધા છે. રિપોર્ટ મુજબ અનેક ગરીબ દેશ મોતના સાચા આંકડા છુપાવી રહ્યા છે.

(11:00 am IST)