Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ગોંડલ સંપ્રદાયના પૂ. લતાબાઇ મ.સ.મુંબઇ ખાતે કાળધર્મ પામ્યાઃ ઘાટકોપરમાં ગુણાનુવાદ સંપન્ન

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના પૂ. અમૃતબાઇ મહાસતીજીના સુશિષ્યા પૂ. લતાબાઇ મહાસતીજી ૮૮ વર્ષની વયે ૫૮ વર્ષના દીક્ષા પર્યાય સહિત રવિવારે સવારે કાળધર્મ પામ્યા બાદ સાંજે ૫ કલાકે મલાડ મોટા સંઘ ખાતેથી પાલખીયાત્રા નીકળી હતી.

આજે તા.૧૭ને સોમવારે સવારે ૯:૩૦ કલાકે પૂ.શ્રી ધીરજમુનિ મ.સા. તથા પૂ. જયેશચંદ્રજી મ.સા. આદિ તથા મહાસતીજી વૃંદની ઉપસ્થિતિમાં સમસ્ત ઘાટકોપર સંઘના ઉપક્રમે ગુણાનુવાદ સભા યોજાયેલ.

(3:12 pm IST)