Gujarati News

Gujarati News

News of Sunday, 17th May 2020

કુવૈતમાં 1048 નવા કેસ નોંધાયા:સંક્રમિતની કુલ સંખ્યા 14,850 થઇ :30 મે સુધી દેશવ્યાપી કર્ફ્યુ

આજે વધુ 250 દર્દીઓની રિકવરી: સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા 4,093 થઇ

કુવૈતમાં 1048 નવા કેસ નોંધાયા છે, જેથી કુલ સંખ્યા 14,850 થઇ છે.આરોગ્ય મંત્રાલયના પ્રવક્તા ડૉ.અબ્દુલ્લા અલ સનાદે જણાવ્યું હતું કે, નવા ચેપગ્રસ્ત કેસો પહેલાથી ચેપગ્રસ્ત લોકો સાથે સંપર્કને કારણે થયા છે અથવા અન્ય કારણોસર તેની તપાસ કરવામાં આવી રહી છે.

 મંત્રાલયે 5 નવા મોતની ઘોષણા કરી છે, આથી મોતનો આંકડો વધીને 112 થઈ ગયો છે. આ ઉપરાંત 250 દર્દીઓની રિકવરી થઈ છે, જેણે પુન: સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યા વધારીને 4,093 કરી દીધી છે.

કુવૈતમાં તાજેતરમાં ચેપના કેસમાં વધારો થયો હોવાના અહેવાલ મળ્યા છે, જેના કારણે સરકારે 30 મે સુધી દેશવ્યાપી કર્ફ્યુ લગાવી દીધો છે

(10:11 pm IST)