Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

પૂ.મોરારીબાપુના વ્યાસાસને કાલથી રાજસ્થાનમાં શ્રીરામકથાનો પ્રારંભ

રાજકોટ તા.૧૭ : પૂ. મોરારીબાપુના વ્યાસાસને કાલે તા.૧૮ને શનીવારથી શ્રીરામકથાનો પ્રારંભ થશે.કાલે તા.૧૮ ને શનીવારે રાજસ્થાનના ડુંગરપુર જીલ્લાના ખાડગડા ખાતે સાંજે ૪-૩૦ વાગ્યાથી શ્રીરામકથાનો પ્રારંભ થશે અને પ્રથમ દિવસે સાંજના ૭ વાગ્યા સુધી શ્રીરામકથાનુ પૂ.મોરારીબાપુ રસપાન કરાવશે.તા.૧૯ ને રવિવારથી તા.ર૬ને રવિવાર સુધી દરરોજ સવારના ૯-૩૦ થી બપોરના ૧-૩૦ વાગ્યા સુધી પૂ.મોરારીબાપુ સંગીતમય શૈલીમાં શ્રીરામકથાનુ રસપાન કરાવશે.

શ્રી રામકથાનું દરરોજ આસ્થા ચેનલ અને  પૂ. મોરારીબાપુની ઓફિશ્યલ વેબસાઇટ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

(3:33 pm IST)