Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ચલો બાળકો, ખુશ થઈ જાવ..સૉરી કહી દીધુ.,પરંતુ તેમ છતાં ચૂંટણી તો લડશે : ગૌહરખાનનો કટાક્ષ

ગોડસે પરના નિવેદન માટે સાધ્વી પ્રજ્ઞા પર ભડકી ગૌહર ખાન : સ્વરા ભાસ્કરે રિટ્વિટ કર્યુ.

ભોપાલથી ભાજપની લોકસભા ચૂંટણીના ટિકિટ મળ્યા બાદથી પ્રજ્ઞા ઠાકુર સતત પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં ઘેરાયેલી છે. આ વખતે તેમના નિવેદન પર અભિનેત્રી ગૌહર ખાનનો ગુસ્સો તેમના પર તૂટી પડ્યો છે. સાધ્વી પ્રજ્ઞાએ હાલમાં જ પોતાના એક નિવેદનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવી દીધા હતા. આના પર ભાજપે તેમના આ નિવેદનને પર્સનલ ગણાવીને પોતાના હાથ ખંખેરી લીધા તો પ્રજ્ઞાએ આના પર માફી માંગી લીધી હતી.

  પ્રજ્ઞાએ પોતાના નિવેદન પર માફી માંગીને ટ્વીટ કર્યુ કે, 'હું નાથુરામ ગોડસે વિશે આપેલા મારા નિવેદન માટે દેશની જનતાની માફી માંગુ છુ. મારુ નિવેદન એકદમ ખોટુ હતુ. હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ખૂબ સમ્માન કરુ છુ.' આના પર ગૌહરે કટાક્ષ કરીને કહ્યુ, 'ચલો બાળકો, ખુશ થઈ જાવ... સૉરી કહી દીધુ...સૉરી કહી દીધુ.. પરંતુ તેમ છતાં ચૂંટણી તો લડશે.' આ ટ્વીટને અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ રિટ્વિટ કર્યુ.

(12:02 pm IST)