Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

વાયુદળના બે એરબેઈઝ ઉપર હુમલાનો ખતરો: ત્રાસવાદીઓ ત્રાટકી શકે છેઃ હાઈએલર્ટ જાહેર

નવી દિલ્હી, તા. ૧૭ :. જમ્મુ-કાશ્મીર સ્થિત ભારતીય વાયુદળના બે એરબેઈઝ ઉપર ત્રાસવાદી હુમલાનો ખતરો મંડરાઈ રહ્યો છે. સરકારી સૂત્રોનું કહેવુ છે કે એવી ગુપ્ત માહિતી મળી છે કે ત્રાસવાદીઓ શ્રીનગર અને અવંતિપુરાના એરબેઈઝ ઉપર હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ચેતવણી બાદ બન્ને બેઈઝ અને આસપાસના બેઈઝ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાલાકોટ એર સ્ટ્રાઈક બાદથી જ વાયુદળ હાઈએલર્ટ પર છે. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તે સજ્જ છે. થોડા દિવસ પહેલા જૈશના એરીયા કમાન્ડર મૈસુર અહેમદે યુપીના સામલી સ્થિત અનેક સ્ટેશનોને બોંબથી ફુંકી મારવાની ધમકીવાળો પત્ર મોકલ્યો હતો. તે પછી ત્યાં એલર્ટ જાહેર કરવામાં આવેલ હતુ

(11:40 am IST)