Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

કર્ણાટક કોંગ્રેસમાં બળવાની સ્થિતિ

પરાજિત સ્પીકર કે.બી. કોલવાડે કહ્યું- સિદ્ધારમૈયાને પક્ષમાંથી દૂર કરો, પરાજય માટે એ જવાબદાર છે

બેંગ્લોર, તા. ૧૭ : કર્ણાટકનું કોકડું સુપ્રિમમાં છે ત્યારે કોંગ્રેસના પરાજયનો દુઃખાવો વધારે તીવ્ર બન્યો છે. કર્ણાટક ધારાસભાના સ્પીકર અને દિગ્ગજ કોંગી નેતા કે.બી. કોલવાડે સિદ્ધારમૈયા સામે મોરચો ખોલી નાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સિદ્ધારમૈયાએ કોંગ્રેસને મોટું નુકસાન કર્યું છે એ જેડીએસના રિર્જક્ટ નેતા છે, સિદ્ધારમૈયાને પક્ષમાંથી દૂર કરવા જોઇએ.

શ્રી કોલવાડ ચૂંટણી હારી ગયા છે. તેમની સાથે અનેક કોંગી નેતા રાહુલ ગાંધીને મળવા જનાર છે.

(11:44 am IST)