Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

ભારતની ચિંતામાં વધારો

જુનમાં રોજ ૨૫૦૦ લોકોના થઇ શકે છે મોત

અત્યાર સુધીમાં સાચી સાબિત થઇ છે લાંસેટની ભવિષ્યવાણી : દેશના ટીયર -૨ અને ટીયર -૩ શહેરો કોરોનાથી સૌથી વધુ ચેપગ્રસ્ત છેઃ એટલે કે, એક મિલિયન સુધીની વસ્તીવાળા શહેરોમાં: આ સમયે પરિસ્થિતિઓ વધુ વિકટ છે

નવી દિલ્હી, તા.૧૭: ભારતમાં કોરોના વાયરસ સતત વિકરાળ રૂપ ધારણ કરી રહ્યોછે.  કોરોના કેસની સાથે હવે મૃત્યુ આંકપણ સતત વધી રહ્યોછે. તો સાથે ડરાવી પણ રહ્યોછે. જૂનમાં દરરોજ, દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા અઢી હાજર જેટલી વધી શકે છે. લાન્સેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધનમાં આદવો કરવામાં આવ્યો છે. આ અધ્યયન ની મહત્વપૂર્ણ વાતે છે કે આ સંશોધનમાં જોડાયેલા એક વૈજ્ઞાનિક ભારત સરકારના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે. 'ભારતમાં કોરોના વેવની બીજી લહેરને મેનેજ કરવા માટ જરૂરી પગલાં'શીર્ષક હેઠળ આ અહેવાલમાં જણાવાયું છે કે ટૂંક સમયમાં દેશમાં દરરોજ સરેરાશ ૧૭૫૦ દર્દીઓ મૃત્યુ થઇ શકે છે તો આગામી જુનના પહેલા અઠવાડિયામાં દૈનિક મૃત્યુની સંખ્યા ૨૩૨૦ સુધી પહોંચી શકે છે, જે ખૂબ ઝડપથી વધી રહી છે.

રિપોર્ટ અનુસાર, આ વખતે દેશના ટીયર -૨ અને ટીયર -૩ શહેરો કોરોનાથી સૌથી વધુ ચેપગ્રસ્ત છે.  એટલે કે, એક મિલિયન સુધીની વસ્તીવાળા શહેરોમાં, આ સમયે પરિસ્થિતિઓ વધુ વિકટ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ભૌગોલિક સ્થાન અનુસાર, પ્રથમ તરંગ અને અને બીજી તરંગ માં સંક્રમણ ક્ષેત્ર લગભગ સમાન છે.

પ્રથમ તરંગ દરમિયાન, ૫૦% કેસ ૪૦ જિલ્લામાંથી આવતા હતા, જે હવે ઘટીને ૨૦ જિલ્લા થઇ ગયા છે. એટલે કે કેટલાક જિલ્લાઓમાં કોરોના સંક્રમણ વધુ માત્રામાં ફેલાઈ રહ્યું છે. ગયા વર્ષે જયારે પ્રથમ તરંગ ટોચ પર હતું ત્યારે ૭૫% કેસ ૬૦ થી ૧૦૦ જિલ્લાઓમાં નોંધાયા હતા. જયારે આ વખતે માત્ર ૨૦ થી ૪૦ જિલ્લાઓમાં જ આ ટકાવારી નોધાઇ રહી છે. જે ખુબ જ ઘટક છે.

બે ગણી ઝડપી વૃદ્ઘિઃ પ્રથમ તરંગ દરમિયાન, પ્રતિદિન દસ હજાર નવા કેસોમાંથી દરરોજ ૮૦ હજાર નવા કેસ સુધી પહોચવામાં ૮૩ દિવસનો સમય લાગ્યો હતો. જયારે આ વખતે ફેબ્રુઆરીથી એપ્રિલની શરૂઆતમાં, દરરોજ ૮૦ હજાર કેસ થવામાં માત્ર ૪૦ દિવસનો સમય લાગ્યો હતો

ઓછા મૃત્યુઃ સંશોધન મુજબ, આ સમયે, કોરોનાનાં લક્ષણો વિનાનાં દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી રહી છે, જે પ્રમાણમાં ઓછા મૃત્યુ તરફ દોરી રહી છે. જયારે પ્રથમ તરંગમાં, લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા ખૂબ વધારે હતી, જેનાથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

ભારતમાં સંક્રમણ શરુ થયા પછી મૃત્યુદર ૧.૩ ટકા  રહ્યોછે. આ વર્ષે જાન્યુઆરીથી, ચેપગ્રસ્ત દર્દીઓની મૃત્યુદર દર  ૦.૮૭ ટકા રહ્યો છે, જે તુલનાત્મક રીતે ઓછો છે પરંતુ જેમ જેમ સંક્રમણ વધશે તેમ તેમાં વધારો થશે. ૧૦ એપ્રિલ સુધીમાં ભારતની સાપ્તાહિક સરેરાશ મૃત્યુ આંક ૬૬૪ છે.

લોકડાઉન ન કરવું જોઈએઃ લોકઆઉટ ગરીબોને નુકસાન પહોંચાડે છે, સ્થાનિક સરકારો સૌથી વધુ ચેપગ્રસ્ત સ્થળોને અઈસોલેટ કરે. અને સ્થળ પર પ્રતિબંધ મૂકવા જેવા પગલાં લે છે.

બજેટ વધારોઃ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધીમાં, ભારત સરકારે કોવિડ -૧૯ તપાસ પર ૭.૮ અબજ અને આરોગ્ય સંસાધનો પર ૧.૭ અબજ ડોલર ખર્ચ કરવાની જરૂર છે.

યુવાનોને રસીઃ ૪૫ વર્ષથી ઓછી ઉંમરના અને અન્ય રોગોથી પીડાતા લોકોને રસી આપવી જોઈએ.

ઝડપી ઉત્પાદનઃ દર મહિને ૭-૮ કરોડ ડોઝ બનાવવામાં આવે છે.  જેના કારણે ઘરેલું જરૂરિયાતો પૂરી કરી શકાતી નથી. ઈન્ડિયા બાયોટેક તેના ઉત્પાદનને દૈનિક ૧૫૦ મિલિયન સુધી વધારશે, તેનાથી થોડી રાહત મળી શકે પરંતુ વૈશ્વિક મદદ માટે રસી આપવી પણ એક મહત્વપૂર્ણ પરિબળ હશે.

જીનોમ અભ્યાસઃ ભારતમાં, કોરોના સંસ્કરણોનું પરીક્ષણ કરવા માટે ખૂબ ઓછા નમૂનાઓનો અભ્યાસ કરવામાં આવે છે, તેથી જિનોમ સિકિવન્સીંગ વધારવો જોઈએ.

પર્યટન પ્રતિબંધોઃ સ્થાનિક રીતે, દસથી વધુ લોકોને એક સાથે મુસાફરી કરવા અથવા બહાર જવા પર પ્રતિબંધ મૂકવાનો ફાયદો થશે.

તપાસનો નિયમઃ આ નિયમમાં ફેરફાર કરીને તે વ્યકિત એ રસી લીધી છે કે કેમ. તેની જાણકારી મેળવવી જોઈએ

ભારત વિશેની આ આગાહીઓ સાચી પડી

* લાન્સેટે ગયા વર્ષે માર્ચમાં કહ્યું હતું કે ભારતની મોટી વસ્તીને કારણે અન્ય દેશોની તુલનામાં ઓછા મૃત્યુ થશે, જે સાચું સાબિત થયું.

* કોવિડ -૧૯ ભારતના રાષ્ટ્રીય સુપરમોડલે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે ફેબ્રુઆરી -૨૦૨૧ ના   અંત સુધીમાં ભારતમાં બીજી તરંગ શરૂ થશે. આ અહેવાલ દેશના વૈજ્ઞાન અને તકનીકી વિભાગની સમિતિ દ્વારા બનાવવામાં આવ્યો હતો જેમાં દ્યણા ગણિતશાસ્ત્રીઓ, આંકડા નિષ્ણાતો અને વિજ્ઞાન નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

(10:54 am IST)