Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

કમલનાથના ટવીટ પછી પીએમ એ તોફાનથી પ્રભાવિત બધા રાજયોમાં વળતરની ઘોષણા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફકત ગુજરાત માટે વળતરની જાહેરાત પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના ટવિટ પછી પ્રધાનમંત્રીએ  વરસાદ અને તોફાનથી પ્રભાવિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, સહિત અન્ય રાજયો માટે પણ વળતરની જાહેરાત કરી છે. પ્રભાવિત રાજયોમાં બધા મૃતકોના પરિજનોને રૂ. ર લાખના વળતરની અને ઘાયલોને રૂ. પ૦૦૦૦ ની સહાયતા મળશે.

(11:28 pm IST)