Gujarati News

Gujarati News

News of Tuesday, 17th April 2018

રાજનાથસિંહની બે દિવસીય દીવની મુલાકાતે આવી રહ્યા છેઃ વણાંકબારામાં તડામાર તૈયારીઓ

૨૧ એપ્રિલે વિશાળ જાહેરસભા સંબોધશેઃ કરોડોના ખર્ચે તૈયાર થયેલ બે સરકારી સર્કિટ હાઉસ ખાતમુહૂર્ત કરશે

દીવ તા. ૧૭ : બીજેપીના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહઙ્ગ સંઘપ્રદેશ દીવનીઙ્ગ મુલાકાતેઙ્ગ આવી રહયા છે. રાજનાથ સિંહની બે દિવસીય દીવની મુલાકાતને લઇ દીવના વણાંકબારામાં તડામાર ત્યારી કરવામાં આવી રહી છે.

૨૧ એપ્રિલે સવારે વણાંકબારા ખાતે માછીમારો રાજનાથ સિંહનું ભવ્ય સ્વાગત કરશે.રાજનાથ સિંહ ૨૧ એપ્રિલે વિશાળઙ્ગસભાને સંબોધશે અને દીવ જાલંધર ખાતે કરોડોના ખર્ચે આકાર પામવા જઇઙ્ગ રહેલાઙ્ગબે સરકારી સર્કિટ હાઉસના ખાતમૂહુર્ત કરશે.

દીવના ઘોઘલા ગામ ખાતે બે સરકારી સ્કૂલોનું ખાત મુહૂર્ત કરશે.આ સમારોહમાં લગભગ ૧૦ હજાર લોકો ઉપસ્થિત રહેશે.

(12:56 pm IST)