Gujarati News

Gujarati News

News of Saturday, 17th March 2018

PNB કૌભાંડમાં બેંકોને પણ મળી શકે છે સજા: નુકશાન ઉઠાવવું પડશે

એલઓયુના આધાર પર ફંડ આપનારી આ બેંકોએ નોર્મ્સનું ઉલ્લંઘન હશે તો તેમને નુકસાનમાં ભાગદાર બનવું પડશે

નવી દિલ્હી ;PNB કૌભાંડમાં બેંકોની પણ લાપરવાહી ખુલશે તો તેને પણ સજા મળી શકે છે અને નુકશાન ભોગવવું પડશે પીએનબી કૌભાંડમાં એલઓયુના આધાર પર નીરવ મોદી, મેહુલ ચોક્સી અને તેમની કંપનીઓને રૂપિયા આપનારી બેંકોને નુકસાન ઉઠાવવું પડી શકે છે. એક સરકારી અધિકારીનું કહેવું છે કે, એલઓયુના આધાર પર ફંડ આપનારી આ બેંકોએ નોર્મ્સનું ઉલ્લંઘન કર્યું છે તો તેમને પણ નુકસાનમાં ભાગદાર બનવું પડશે.

 

  નાણાં મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, ‘હાલ પીએનબી તેના બધા વચનોને પૂરા કરશે, પરંતુ જો આગળની તપાસમાં એવું જાણવા મળે છે કે, પીએનબીના એલઓયુના આધાર પર રૂપિયા આપનારી એ બેંકો તરફથી પણ કંઈક અયોગ્ય કરાયું છે, તો તેમને નુકસાનનો અડધો ભાગ શેર કરવો પડશે.’ બેંકિંગ ફ્રોડ પર સંસદીય સમિતિના રિપોર્ટ મુજબ, દેશ-વિદેશની લગભગ 30 બેંકોએ આ પીએનબી કર્મચારીઓએ જારી કરેલા નકલી એલઓયુના આધાર પર મોદી, ચોક્સી અને તેમની કંપનીઓને ફંડ આપ્યું હતું.

  આ અધિકારીએ જણાવ્યું કે, નથી લાગતું કે પેમેન્ટને લઈને કોઈપણ પ્રકારના કન્ફ્યુઝનની કોઈ સ્થિતિ છે. પીએનબી પહેલા જ કહી ચૂક્યું છે કે, તે પોતાના કમિટમેન્ટ્સ પૂરા કરશે.’ અધિકારીઓ મુજબ, ‘બધી પબ્લિક સેક્ટરની બેંકો એ વાત પર સંમત છે કે, જો આગળની તપાસમં તેમના તરફથી કોઈ બેદરકારી કે અયોગ્ય કાર્યની વાત સામે આવી છે તો તે લાયબિલિટી શેર કરશે.’ અધિકારીનું કહેવું છે કે, લેન્ડર બેંકોએ પેમેન્ટ કરવાને કારણે પીએનબી પર પડનારા બોજથી હાલ કોઈ મોટો ખતરનો નથી.

  પીએનબીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તેને બેન્કિંગ રેગ્યુલેટર બેંક ઓફ ઈન્ડિયા પાસેથી આશા છે કે, તે છેતરપિંડીની સામે જોગવાઈ કરવાની મંજૂરી આપશે. પીએનબી મેનેજિંગ ડાયરેક્ટર સુનીલ મહેતાએ પહેલા કહ્યું હતું કે, બેંક પોતાનું કમિટમેન્ટ પુરું કરશે, પરંતુ આ સંબંધમાં છેલ્લી ચૂકવણીનો નિર્ણય તપાસ પૂરી થયા બાદ જ લેવામાં આવશે. મહેતાએ કહ્યું હતું કે, ‘આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અમે જોઈશું કે આ મામલે જે પણ જવાબદાર હશે અને આરબીઆઈ જે પણ નિર્ણય લેશે, તેને અમે પૂરો કરીશું.’

  અત્રે ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં દેશના સૌથી મોટા બેન્કિંગ કૌભાંડના મૂળ લેટર ઓફ અંડરટેકિંગ (LoU) પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે. આરબીઆઈએ બેંકોને LoU આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. આરબીઆઈએ કહ્યું કે, ટ્રેડ ફાઈનાન્સ માટે LoU અને લેટર ઓફ કન્ફર્ટ (LoCs)ના ઉપયોગ પર રોક લગાવતો નિર્ણય તાત્કાલિક પ્રભાવથી લાગુ થઈ ગયો છે. સેન્ટ્રલ બેંકે એક નોટિફિકેશનમાં કહ્યું કે, ‘ વર્તમાન દિશાનિર્દેશોની સમીક્ષા બાદ ભારતમાં આયાત માટે LoUs/LoCs જારી કરવા પર તાત્કાલિક પ્રભાવથી રોક લગાવવામાં આવી રહ્યો છે.’

(12:14 pm IST)