Gujarati News

Gujarati News

News of Sunday, 17th February 2019

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે : અમારી તરફથી ક્યારે પણ હિંસા નથી થઇ, અમારા પર આરોપ લગાવવો સરળ: મોહમ્મદ કુરૈશીએ

મ્યૂનિખ : ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવી જ કહેવાત પાકિસ્તાન પર ચરિતાર્થ થવા જઇ રહી છે. જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફનાં કાફલા પર ભીષણ હૂમલાને પાકિસ્તાન સમર્થીત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા અંજામ આપવામાં આવવા છતા એવું માનવા તૈયાર નથી કે આ હૂમલામાં તેની કોઇ જ ભુમિકા હોય. આ હૂમલા અંગે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહમદ કુરૈશીની તરફથી આવેલી પ્રતિક્રિયામાં કહેવામાં આવ્યું છે કે, ભારતને વધારે જવાબદારીથી કામ કરવું જોઇએ.

પાકિસ્તાન તરફથી પુછવામાં આવ્યું કે, શું નવી દિલ્હી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે કે આગામી ચૂંટણી પર ધ્યાન આપી રહ્યા છે ? મ્યુનિખ સુરક્ષા સમ્મેલન પ્રસંગે બોલતા કુરેશીએ કહ્યું કે, મને મળેલા પહેલા સમાચાર એવા હતા કે આ ઘટના કાશ્મીરના પુલવામામાં થઇ હતી હું આ ઘટનામાં થયેલા મોત અને તેનાથી પ્રભાવિત થયેલા લોકોને મુદ્દે દુખી હતી. આ માહિતી ખુ બ જ દુખ થયું કે આ ઘટનામાં ભારતીય કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)નાં જવાન મરાયા અને ઘાયલ થયા.

 

(12:04 pm IST)