Gujarati News

Gujarati News

News of Saturday, 17th February 2018

PNB કૌભાંડ બેકિંગ ફ્રોડ છે: તમામ રકમ રિકવર કરી લેવાશે :પ્રકાશ જાવડેકર

કૌભાંડ 2011માં યુપીએ સરકાર વખતે આચરાયું :એનડીએની સતર્કતાથી બહાર આવ્યું :તપાસ ચાલુ છે

 

નવી દિલ્હી :પંજાબ નેશનલ બેંક કૌભાંડ 2011માં યુપીએ સરકાર વખતે આચરવામાં આવ્યું હતુ. પરંતુ એનડીએની સતર્કતાના કારણે કૌભાંડ બહાર આવ્યું છે તેમ કહીને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે સરકારનું કોઇ કૌભાંડ નથી પરંતુ બેકિંગ કૌભાંડ છે.

 જાવડેકરે જણાવ્યું એમ પણ કહ્યું હતું કે એક બેકિંગ ફ્રોડ છે. જેની તપાસ ચાલી રહી છે. સરકાર લોકોને સુનિશ્ચિત કરવા માંગે છે કે તમામ રકમ રિકવર કરી લેવાશે.

(9:16 am IST)