Gujarati News

Gujarati News

News of Friday, 17th January 2020

નિર્ભયાના આરોપીઓને ફાંસીમાં વિલંબ માટે 'આપ' નહી ભાજપા સરકાર દોષીઃ સાંસદ સંજયસિંહની સટાસટી

નિર્ભયાના આરોપીઓને ફાંસી આપવામાં વિલંબને લઇ ભારતીય જનતા પાર્ટી અને આપની વચ્ચે પલટવાર શરૂ થઇ ગયો છે. કેન્દ્રીય મંત્રી જાવડેકરએ નિર્ભયાના દોષીઓની ફાંસીમાં વિલંબ માટે આમ આદમી પાર્ટીની સરકારને જવાબદાર બતાવ્યા પછી આપના સાંસદ સંજયસિંહએ પલટવાર કર્યો છે.

એમણે કહ્યું કે પુરો દેશ જાણે છે કે પોલીસ અને કાનૂન વ્યવસ્થા બીજેપી પાસે છે પછી બેશર્મી સાથે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દેશને ગુમરાહ કરી રહ્યા છે.

(12:00 am IST)