Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રયાગરાજ પહોંચ્યા :ત્રિવેણી સંગમમાં કરી પૂજા :મહાયજ્ઞમાં આપી આહુતિ

રાષ્ટ્રપતિ પાણી મશીન,ટોયલેટ પાર્ક અને ગાંધી પોર નાઉ,ગાંધી ફોર યુથ સંમેલનનું કરશે ઉદ્ધઘાટન

પ્રયાગરાજ :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પ્રયાગરાજમાં ચાલતા કુંભ મેળામાં પહોંચ્યા હતા  જ્યાં તેમણે ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના પવિત્ર ત્રિવેણી સંગમની વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા કરી.હતી તેઓ અરૈલમાં પરમાર્થ નિકેતનમાં વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં આહુતિ આપશે

  ત્યારબાદ રાષ્ટ્રપતિ પાણી મશીન અને ટોયલેટ પાર્કનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત તેઓ ગાંધી પોર નાઉ, ગાંધી ફોર યુથ સંમેલનનું પણ ઉદ્ઘાટન કરશે

 . રાષ્ટ્રપતિની પ્રયાગરાજ મુલાકાતને લઈને સુરક્ષા સંબંધિત વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની પ્રયાગરાજ મુલાકાત સમયે રાજ્યપાલ રામ નાઈક, સીએમ યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મોર્ય, સિદ્ધાર્થનાથ સિંહ સહિતના પ્રધાનો ઉપસ્થિત છે.

 

(12:13 pm IST)