Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

પ્રવિણ તોગડિયાએ શું કહ્યું

તોગડિયાને હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી

         અમદાવાદ,તા. ૧૭ : ભેદી સંજોગોમાં રહસ્યમયરીતે ગુમ થયેલા વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા સોમવારે મોડી રાત્રે શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં નાટયાત્મક રીતે દાખલ થયેલા મળી આવવાના પ્રકરણમાં આજે વધુ એક નવું ડેવલપમેન્ટ સામે આવ્યું છે. ડો.પ્રવીણ તોગડિયાને આજે હોસ્પિટલમાંથી તેમની તબિયતમાં સુધારો નોંધાતા રજા આપી દેવામાં આવી હતી. રજા આપી દેવામાં આવ્યા બાદ તોગડિયાએ પત્રકાર પરિષદ યોજીને મોદી પર સીધા પ્રહારો કર્યા હતા.

*      દિલ્હીના રાજકીય બોસ (વડાપ્રધાન મોદી)ના ઇશારે ક્રાઈમ બ્રાંચના જોઇન્ટ કમિશનર જેકે ભટ્ટ તેમની સામે અને વિહિપના કાર્યકરો સામે કાવતરા રચી રહ્યા છે

*      ભટ્ટ અને વડાપ્રધાન મોદી વચ્ચે થયેલી વાતચીત જાહેર કરવામાં આવે

*      સંઘના પ્રચારક સંજય જોશીની સામે ૨૦૦૫માં સેક્સ સિડી બનાવટી હતી અને તેને બનાવનારનું નામ સમય આવશે ત્યારે બતાવીશું

*      ગુજરાતથી આવનાર વડાપ્રધાનને પ્રાર્થના કરે છે કે તેમની સામે કાવતરા ઘડીને લોકતંત્રની હત્યા કરવાના પ્રયાસ કરવામાં ન આવે

*      ક્રાઈમ બ્રાંચ દ્વારા જ તેમના સંબંધમાં પસંદગીના વિડિયો ટીવી ચેનલોને આપવામાં આવી રહ્યા છે

*      સંજય જોશીના વિડિયો પણ અહીં જ બનાવી દેવામાં આવ્યા હતા

*      ક્રાઈમ બ્રાંચની સામે પગલા લેવા માટે તેઓ ઇચ્છુક છે

*      ક્રાઈમ બ્રાંચ પર તેમને ગર્વ છે. તેઓએ ક્યારે પણ પોલીસ અધિકારીઓ સામે નિવેદન આપ્યા નથી

*      રાજસ્થાન સરકારે તેમની સામે કોઇ કેસ હોવાનો ઇન્કાર કર્યો છે

*      સંજય જોશીના બનાવટી વિડિયો બનાવીને સંઘ જેવી પવિત્ર સંસ્થાના પ્રચારકને બદનામ કરવાના કાવતરાનું ગુજરાતમાંથી જ કરાયું હતું

*        મોદીની સાથે ઇનકમિંગ અને આઉટગોઇંગ કોલની વિગત જાહેર કરવાની માંગ કરી

(8:21 pm IST)