Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

સિંધુ બોર્ડર રોડ ઉપર મહિનાઓ બાદ સામાન્ય વાહન વ્યવહાર પૂર્વવત

નવી દિલ્હી : કોરોના કાળ દરમિયાન ગત વર્ષે ખેડુતો દ્વારા કૃષી કાયદાના વિરોધ સાથે આંદોલનના મંડાણ કરાયા હતા. ખેડૂતોએ દિલ્હીના સિંઘુ બોર્ડર ઉપર ડેરો જમાવ્યો હતો. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી અહીંથી દિલ્હી તરફ જતા રસ્તાઓને ડાયવર્ટ કરાયા હતા. જેથી સ્થાનીક લોકોને ઘણી મુશ્કેલીઓ પડી હતી. પણ હવે ખેડૂત આંદોલન કેન્દ્ર દ્વારા તમામ માંગો સ્વીકારતા પુરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોનો તમામ કાફલો સિંધુ બોર્ડરથી પોતાના ઘરે જવા નીકળી જતા રોડ ખાલી થયો છે. દિલ્હી પોલીસ દ્વારા ખેડૂતોને રાજધાનીમાં જતા અટકાવવા મુકાયેલ બેરીકેટ દૂર કરી અને પહેલાની જેમ સામાન્ય વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

(3:04 pm IST)