Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

કોરોનાની ત્રીજી લહેર આવવી નિશ્ચિત તેને કોઈ નહીં રોકી શકે: ડો,અશોક શેઠ

ફોર્ટિસ એક્સોર્ટ્સ હાર્ટ ઈન્સ્ટીટ્યુટના અધ્યક્ષ ડોક્ટર અશોક શેઠે કહ્યું - આપણે ખરેખરા જોખમમાં છીએ: ઓમિક્રોન અત્યંત ચેપી છે અને તે રોગ પ્રતિકાર શક્તિથી બચી જાય છે

 

નવી દિલ્હી :  સમગ્ર દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. આ સ્થિતિમાં એક ટોચના આરોગ્ય  નિષ્ણાંતે કહ્યું કે  કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે. તેમણે કહ્યું કે આને ટાળી શકાય નહીં. આ માટે, તેમણે સલાહ આપી છે કે લોકોની સલામતી માટે, બૂસ્ટર ડોઝને ધ્યાનમાં લેવાવો જોઈએ, ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓને. 

કોરોનાની ત્રીજી લહેર કેમ આવશે જ તે અંગે સમજાવતા ડોક્ટરે શેઠે કહ્યું કે ઓમિક્રોન અત્યંત ચેપી છે અને તે રોગ પ્રતિકાર શક્તિથી બચી જાય છે. બીમારીની ગંભીરતા સંપૂર્ણ રીતે કોઈના શરીરની રોગપ્રતિકાર શક્તિ સાથે સંબંધિત છે. ભારત એક વિશાળ દેશ છે અને હોસ્પિટલમાં ઘણા દર્દીઓ ભરેલા પડ્યાં છે.

દેશભરમાં ઓમિક્રોન કેસોની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લેતા ડોક્ટર અશોક શેઠે કહ્યું કે આપણે ખરેખરા જોખમમાં છીએ અને આપણે તૈયારીની જરુર છે. 

(9:31 am IST)