Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મહારાજ સાહેબની તબિયત નાદુરસ્ત થતા લીલાવતી હોસ્પિટલમાં આઈસીયુમાં અપાઈ સારવાર

સખત પેટમાં દુખાવો, ઉલ્ટી અને અપચોના કારણે હોસ્પિટલાઇઝ કરાયા : સ્વાસ્થ્યમાં સુધારો જણાતાં પરમધામ પધારી ગયા: ડોક્ટરની સલાહ મુજબ 2-3 દિવસ આરામની જરૂર હોય ભાવિકોને દર્શન માટે નહીં આવવા અનુરોધ

મુંબઈ :રાષ્ટ્રસંત પૂ,શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની તબિયત નાદુરસ્ત થતા તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સખત પેટમાં દુખાવો, ઉલ્ટી અને અપચોના કારણે મંગળવારે વહેલી સવારે મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં આઇસીયુંમાં દાખલ કરાયા હતા જ્યાં નિદાન કરતા ફૂડ પોઇઝનનું કારણ જણાયું હતું.

 અલગ અલગ ટેસ્ટ કરીને ઓબ્ઝર્વેશન રાખી પરમ ગુરુદેવના સ્વાસ્થ્યમાં સુધારો જણાતાં આજે સવારે તેઓ પરમધામ પધારી ગયા છે અને ડોક્ટરની સલાહ મુજબ 2-3  દિવસ આરામની જરૂર હોવાના કારણે ભાવિકોને દર્શન માટે આવવુ નહીં તેવી વિનંતી કરાઈ છે

 

(12:00 am IST)