Gujarati News

Gujarati News

News of Thursday, 16th December 2021

બસ નાળામાં ખાબકતા નવના મોત: પીએમ રાહત ફંડમાંથી બે લાખ રૂપિયા આપવાની જાહેરાત

આંધ્રપ્રદેશ: પશ્ચિમ ગોદાવરી જિલ્લાના જાંગરેદ્દીગુડેમમાં બસ નાળામાં પડી જતાં નવ લોકોના મોત થયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરીમાં બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો માટે પીએમ એનઆરએફ તરફથી પ્રત્યેકને ૨ લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રાહતની જાહેરાત કરી છે.

(12:00 am IST)