Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

જ્યોતિરાદિત્ય સિંધિયાને મધ્યપ્રદેશના અધ્યક્ષ બનાવવા માંગણી :ધારાસભ્યોના દિલ્હીમાં ધામા

સિંધિયાના નિવાસે એક નેતાએ પગ પકડી લીધા ;આત્મ વિલોપનની પણ ચીમકી આપી !

 

નવી દિલ્હી :મધ્યપ્રદેશમાં કોંગ્રેસના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી દેવાઇ છે. ત્યારે પાર્ટીની અંદર જ્યોતિરાદિત્ય સિંધિયાના પક્ષમાં પણ અવાજ ઉઠી રહ્યો છે.સિંધિયાને મધ્યપ્રદેશના પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માગણી સાથે 15 જેટલા ધારાસભ્યોએ દિલ્હી સ્થિત સિંધિયાના નિવાસ સ્થાન બહાર ધામા નાંખ્યા હતા

  . દરમિયાન ત્યાં ઘણા કાર્યકરો પણ હાજર હતા.એક નેતાએ સિંધિયાના પગ પકડી લીધા હતા. અને તેઓ પોતાની માગણી પર અડગ રહ્યા. તેણે આત્મહત્યાની ચીમકી પણ આપી. સિંધિયાએ તેમને મનાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તેઓ માન્યા નહીં. ભીડમાં રહેલા લોકોની સાથે મળીને સિંધિયાએ તેમને ઉપર ઉઠાવ્યા. અને સમજાવટ બાદ અંદર ચાલ્યા ગયા.

(12:00 am IST)