Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

લગ્નનું શોપિંગ કરી પાછા ફરતા યુવક-યુવતીનાં મોત

અકસ્માતે પરિવારની ખુશીઓ પર ગ્રહણ લગાડ્યું : અજાણ્યા વાહન ચાલકે સ્કૂટીને ટક્કર મારતાં બંનેનાં મોત

કાનપુર , તા.૧૬ : ઉત્તર પ્રદેશના ઔરૈયાથી એક દુઃખદ સમાચાર આવ્યા છે, જ્યાં એક માર્ગ અકસ્માતે બે લોકો સહિત તેમના પરિવારના જીવનમાં આવનારી ખુશીઓ પર કાયમ માટે ગ્રહણ લગાવી દીધું છે.

ઘટનાની વિગતો એવી છે કે, રવિવારે એક માર્ગ અકસ્માતમાં યુવતી અને યુવતીનું મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંનેના ૧૦ ડિસેમ્બરના રોજ લગ્ન હોવાથી શોપિંગ માટે કાનપુર આવ્યા હતા. જો કે, ખરીદી બાદ પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમની સ્કૂટીને ટક્કર મારતા બંનેના મોત થયા હતા.

બનાવની જાણ થતાં બંને પરિવારની લગ્નની ખુશીઓ માતમાં ફેરવાઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવકની ઓળક સચિન શ્રીવાસ્તવ તરીકે થઈ છે.

જેઓ સીબીઆઈમાં કલાર્ક પદ પર તૈનાત હતા. રિંગ સેરેમની થઈ ચૂકી હતીઅને બંને પરિવારો લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા, પરંતુ માર્ગ અકસ્માતમાં કપલનું મોત થતાં બંને પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. અકસ્માત બાદ પરિવારના સભ્યોને મોતના સમાચાર મળતા જ બંને પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

 બંનેના એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બંનેના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ પછી મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યા છે.

આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. અજાણ્યા વાહનને ટ્રેસ કરવામાં આવી રહ્યું છે. નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે આ અકસ્માત થયો હતો.

(7:39 pm IST)