Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીને કોરોના વળગ્યો

ટ્વીટ કરીને આપી જાણકારી : સંપર્કમાં આવનારને સાવધાની રાખવા અને કોરોના ટેસ્ટ કરાવવા જણાવ્યું

નવી દિલ્હી :કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મનીષ તિવારીને કોરોના વળગ્યો છે તેઓએ કહ્યુ હતું કે, તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેમણે હાલમાં જ પોતાના સંપર્કમાં આવેલા લોકોને સાવધાની રાખવા જણાવ્યુ છે. તથા તેમને કોરોના ટેસ્ટ કરાવી લેવા પણ જણાવ્યુ છે

તિવારીએ ટ્વીટ કર્યુ હતું કે, મને હલ્કો તાવ આવી રહ્યો હતો, તે બાદ સવારે મેં તપાસ કરાવી ટેસ્ટ કરાવી લીધો હતો. જે બાદ મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં આનંદ શર્મા, મુકુલ વાસનિક અને અન્ય નેતાઓએ તિવારીના સારા સ્વાસ્થ્યની કામના કરી છે. તિવારી અગાઉ અહેમદ પટેલ, મોતીલાલ વોરા અને અન્ય કેટલાય નેતાઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

(6:50 pm IST)