Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કેરળમાં ઘટતા કોરોનાના કહેરથી દેશમાં નવા 14.073 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 19.785 દર્દીઓ રિકવર થયા : વધુ 146 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.52.156 થયો :એક્ટીવ કેસ 1.89.342 થયા : કુલ કેસની સંખ્યા 3.40.66.740 થઇ

સૌથી વધુ કેરળમાં 7955 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1553 કેસ, તામિલનાડુમાં 1233 કેસ,મિઝોરમમાં 932 કેસ, પશ્ચિમ બંગાળમાં 443 કેસ, ઓરિસ્સામાં 358 કેસ, આંધ્રપ્રદેશમાં 332 કેસ,કર્ણાટકમાં 264 કેસ, આસામમાં 269 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 14.073 કેસ નોંધાયા છે. જ્યારે 19.785 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 14.073 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 146 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.52.156 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 14.073 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.40.66.740 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.89.342 થઇ છે છેલ્લા 24 કલાકમાં 19.785 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.34.12.138 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 7955 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1553 કેસ, તામિલનાડુમાં 1233 કેસ, મિઝોરમમાં 932 કેસ, પશ્ચિમ બંગાળમાં 443 કેસ, ઓરિસ્સામાં 358 કેસ, આંધ્રપ્રદેશમાં 332 કેસ,કર્ણાટકમાં 264 કેસ, આસામમાં 269 કેસ નોંધાયા છે

(1:07 am IST)