Gujarati News

Gujarati News

News of Saturday, 16th October 2021

કાશ્મીરમાં પરપ્રાંતિય એક બિહારી અને યુપી નાગરિકની હત્યા થઇ: આતંકીઓએ આ મહિનામાં ૫ લઘુમતીઓની હત્યા કરી

 (સુરેશ એસ દુગ્ગર દ્વારા )  જમ્મુ: કાશ્મીરમાં આજે આતંકવાદીઓએ વધુ એક બિહારીની હત્યા કરી છે.  જ્યારે યુપીનો એક નાગરિક ગંભીર રીતે ઘાયલ થયો હતો, તેનું પણ મોત થયું હતું.  કાશ્મીરમાં આ મહિને અત્યાર સુધી આતંકવાદીઓએ ૫ લઘુમતીઓની હત્યા કરી છે.

પોલીસે જણાવ્યું કે મોડી રાત્રે આતંકવાદીઓએ બિહારના અરવિંદ કુમાર અને શ્રીનગરના ઇદગાહ મેદાન વિસ્તારમાં પુલવામામાં યુપીના રહેવાસી સગીર અહેમદ પર ગોળીબાર કર્યો હતો.  અરવિંદ કુમારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે યુપીના નાગરિકનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.

(8:52 pm IST)